19 December, 2021 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગૌતમ ગંભીર
આઇપીએલમાં તાજેતરમાં ૭૦૯૦ કરોડ રૂપિયામાં લખનઉની ટીમ ખરીદનાર સંજીવ ગોએન્કાની માલિકીના ગ્રુપે ગઈ કાલે ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરને ટીમના મેન્ટર (માર્ગદર્શક) તરીકે નીમ્યો હતો. એ રીતે ગંભીરે આઇપીએલમાં કમબૅક કર્યું છે.
બીજેપીના સંસદસભ્ય ગંભીરે ખેલાડી તરીકેની કરીઅર દરમ્યાન કલકત્તા નાઇટ રાઇડર્સને બે ટાઇટલ અપાવ્યાં હતાં. આ ટીમને નામ આપવાનું હજી બાકી છે. ગંભીરે ગઈ કાલે પી.ટી.આઇ.ને કહ્યું હતું કે ‘મારામાં ગમેએમ કરીને જીતવાની અને બધાના દિલોદિમાગ પર ઊંડી છાપ પાડવાની ઇચ્છાશક્તિ હજીયે પહેલાં જેવી જ ઉગ્ર છે. હું ડ્રેસિંગરૂમમાં જગ્યા મેળવવા માટે ભલે હરીફાઈ નહીં કરું, પણ ઉત્તર પ્રદેશના જોશ અને ઝનૂન માટે જરૂર લડીશ.’
૪૦ વર્ષનો ગંભીર ભારત વતી ૫૮ ટેસ્ટ, ૧૪૭ વન-ડે અને ૩૭ ટી૨૦ રમ્યો હતો.