17 October, 2021 04:46 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સૌરવ ગાંગુલી
ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે ‘વિરાટ કોહલીના નેતૃત્ત્વવાળી ભારતીય ટીમમાં ટી૨૦ વર્લ્ડ કપ જીતવાની ક્ષમતા છે, પરંતુ પ્લેયર્સે પરિપક્વતા દેખાડવાની જરૂર છે. તમે સરળતાથી ચૅમ્પિયન બનતા નથી. વળી માત્ર ટુર્નામેન્ટમાં પ્રવેશ માત્રથી પણ નહીં. ભારતીય ટીમમાં રન બનાવવાની અને વિકેટ લેવાની ક્ષમતા છે, પરંતુ વર્લ્ડ કપ જીતવા માટે માનસિક રીતે પણ સારી સ્થિતિમાં હોવું જરૂરી છે. ફાઇનલ પૂરી થાય ત્યાર બાદ જ તમે વિજયી ગણાઓ. એથી માત્ર દરેક મૅચ જીતવા પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કોઈ પણ રમતમાં હંમેશાં પ્રતિસ્પર્ધી તો હોવાના જ. એથી જ્યારે રમવા આવો ત્યારે વર્લ્ડ કપ જીતવાને બદલે આવતા બૉલને કઈ રીતે ફટકારવો એનો વિચાર કરવો જોઈએ.’