ચોથી ટેસ્ટ મૅચમાંથી ખસી ગયો બુમરાહ

28 February, 2021 12:46 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ચોથી ટેસ્ટ મૅચમાંથી ખસી ગયો બુમરાહ

જસપ્રીત બુમરાહ

પેસ બોલર જસપ્રીત બુમરાહ ઇંગ્લૅન્ડ સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ મૅચ નહીં રમે. તેણે અંગત કારણસર ટીમ મૅનેજમેન્ટને ચોથી ટેસ્ટમાં ન રમવાની પરવાનગી માગી હતી. 

ભારતીય ક્રિકેટ બોર્ડે એક રિલીઝમાં જણાવ્યું હતું કે ‘ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે વ્યક્તિગત કારણસર ઇંગ્લૅન્ડ સામેની ચોથી ટેસ્ટ માટે ટીમમાંથી છૂટો કરવાની અરજી કરી હતી, જે અમે સ્વીકારી લીધી છે એથી હવે એ સિલેક્શન માટે ઉપલબ્ધ નહીં રહે. ચોથી માર્ચથી શરૂ થઈ રહેલી ફાઇનલ ટેસ્ટ ટીમમાં કોઈ અન્ય પ્લેયરનો સમાવેશ કરવામાં નથી આવ્યો.’

ક્રિકેટ બોર્ડે બુમરાહ બહાર થવાનું કારણ જાહેર નથી કર્યું.

sports sports news cricket news test cricket jasprit bumrah england india