જસપ્રીત બુમરાહ જલ્દી મેદાન પર આવી શકે છે પાછા,ફોટો પોસ્ટ કરી આપી હિન્ટ

29 October, 2019 06:52 PM IST  |  મુંબઈ

જસપ્રીત બુમરાહ જલ્દી મેદાન પર આવી શકે છે પાછા,ફોટો પોસ્ટ કરી આપી હિન્ટ

જસપ્રીત બુમરાહ

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ક્રિકેટના મેદાનથી દૂર છે, પરંતુ તે મેદાન પર પાછા ફરવા માટે ઉતાવળા છે. પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટથી તેણે મેદાન પર પાછા ફરવાના સંકેતો આપ્યા છે. તેમણે ટ્વિટર પર પોતાની ફિટનેસ પર કામ કરતો હોય તેવી એક તસવીર પોસ્ટ કરી અને લખ્યું કે કમિંગ સૂન. તેની આ પોસ્ટથી ખબર પડે છે કે તે મેદાન પર પાછા ફરવા માટે કેટલા ઉતાવળા થઈ રહ્યા છે.


BCCIએ 24 સપ્ટેમ્બરે આ વાતનું એલાન કર્યું હતું કે જસપ્રીત બુમરાહ લોએર બેક પેઈન સામે લડી રહ્યા છે. જેના કારણે તેને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાંથી બહાર બેસવું પડ્યું હતું. આ ટેસ્ટ સીરિઝમાં ભારતે સાઉથ આફ્રિકાને 3-0થી હરાવ્યું હતું. બુમરાહની જગ્યાએ ટીમમાં ઉમેશ યાદવને લેવામાં આવ્યો હતો. જેણે સીરિઝમાં ઘણો સારો દેખાવ કર્યો હતો.

આ પણ જુઓઃ જયદેવ ઉનડકટઃ આ ગુજરાતી ખેલાડીએ વસીમ અકરમ પાસેથી શીખી છે બૉલિંગ

હવે ભારત બાંગ્લાદેશની સામે ત્રણ મેચોની ટી-20 સીરિઝ અને તે બાદ બે મેચની ટેસ્ટ સીરિઝ રમવાનું છે. બુમરાહ પોતાની ઈજાના કારણે ટી-20 અને ટેસ્ટ સીરિઝનો ભાગ નથી. તો આ વખતે વિરાટ કોહલીને આરામ આપીને ટી-20 માટે ટીમની કમાન રોહિત શર્માને આપવામાં આવી છે. કોહલી બાંગ્લાદેશની સામે ટેસ્ટ સીરિઝ માટે ટીમમાં પાછા ફરશે.

jasprit bumrah virat kohli