06 July, 2019 02:13 PM IST |
ધોનીએ સન્યાસને લઈને તોડ્યુ મૌન
વર્લ્ડ કપ દરમિયાન મહેન્દ્ર સિંહે ધોની આખરે સન્યાસને લઈને મોટુ નિેવેદન આપ્યું છે. વર્લ્ડ કપમાં છેલ્લી લીગ પહેલા ધોનીએ તેના સન્યાસને લઈને નિવેદન આપતા કહ્યું હતું કે, કેટલાક લોકો ઈચ્છે છે કે શ્રીલંકા સામેની લીગ મેચ પહેલા જ હું સન્યાસ જાહેર કરૂ.' વર્લ્ડ કપમાં ધોનીના પ્રદર્શનને લઈને સતત તેની આલોચના કરવામાં આવી રહી છે. આ આલોચના વચ્ચે ધોનીના સન્યાસ લેવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પહેલાથી જ સેમીફાઈનલમાં ક્વાલિફાય કરી ચૂકી છે. સેમીફાઈનલ પહેલા ભારતીય ટીમ છેલ્લી લીગ મેચ શ્રીલંકા સામે રમશે. શ્રીલંકા સામેની મેચ પહેલા એક ટીવી ચેનલ સાથે વાત કરતા ધોનીએ કહ્યું હતું કે, મને અત્યારે નથી ખબર કે હું ક્યારે સન્યાસ જાહેર કરીશ, પરંતુ કેટલાક લોકો ઈચ્છે છે કે શ્રીલંકા સામેની મેચ પહેલા જ હું સન્યાસ જાહેર કરુ.' આ પહેલા પીટીઆઈએ કહ્યું હતું કે, વિશ્વ કપની છેલ્લી મેચ ધોનીની છેલ્લી મેચ હશે. પીટીઆઈએ BCCI સૂત્રના હવાલાથી કહ્યું હતું કે, 'ધોની વિશે કઈ પણ કહી શકાય નહી. પરંતુ આ વાતની સંભાવના ઓછી છે કે, વર્લ્ડ કપ પછી ધોની રમવાનું ચાલુ રાખે.'
આ પણ વાંચો: કપિલ દેવના અંદાજમાં રણવીર સિંહ, જન્મદિવસ પર ચાહકોને આપી અનોખી ભેટ
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપમાં ધોનીનું પ્રદર્શન એ સ્તરનું રહ્યું નથી જેની આશા રાખવામાં આવી રહી છે. ધોની ઈંગ્લેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે ધોનીએ ધીમી બેટિંગ કરી હતી જેને લઈને તેમના રમવાની સ્ટાઈલ પર સવાલ ઉઠ્યા હતા. સચિન તેન્ડુલકર અને ગાંગુલીએ પણ ધોનીની આલોચના કરી હતી જો કે સ્કિપર વિરાટ કોહલીએ ધોની પર વિશ્વાસ દર્શાવ્યો હતો અને ધોનીની ધીમી બેટિંગને સમર્થન આપ્યું હતું.