22 January, 2020 12:34 PM IST | Kalyani (West Bengal)
વૃદ્ધિમાન સહા
ન્યુ ઝીલૅન્ડ ટૂર માટે ભલે ટીમ ઇન્ડિયા ત્યાં પહોંચી ગઈ હોય પણ ભારતીય ક્રિકેટ બોર્ડે હાલમાં વૃદ્ધિમાન સહાને રણજી ટ્રોફીમાં દિલ્હી સામેની મૅચ સ્કીપ કરવા જણાવ્યું છે. નવેમ્બરમાં બંગલા દેશ સામેની ડે-નાઇટ ટેસ્ટ વચ્ચે હાથમાં ઈજા થતાં સહા ટીમમાંથી બહાર થયો હતો. આ સંદર્ભે વાત કરતાં સહાના બંગાળ ટીમના કોચ અરુણ લાલે કહ્યું કે ‘આવતા રવિવારથી સહા મૅચ માટે ઉપલબ્ધ નથી. મારા ખ્યાલથી બીસીસીઆઇએ તેને રણજી મૅચ ન રમવાનું કહ્યું હશે. તેનું ટીમમાં હોવું સારી વાત છે, પણ તેની ગેરહાજરીથી વધારે ફરક નથી પડતો કેમ કે અમે વિનિંગ સાઇડ પર છીએ. આ માત્ર એક મૅચની વાત છે એટલે વાંધો નથી.’
આ પણ વાંચો : ન્યુ ઝીલૅન્ડ ટૂર પહેલાં ભારતને ઝટકો : ઈજાને લીધે ઇશાન્ત ટીમમાંથી છ અઠવાડિયાં માટે બહાર
ન્યુ ઝીલૅન્ડ સામે ઇન્ડિયા પહેલી ટેસ્ટ મૅચ ૨૧ ફેબ્રુઆરીથી રમશે અને એમાં સહાનો સમાવેશ કરવામાં આવી શકે છે.