સદી ચૂક્યાનો અફસોસ નથી : વૉશિંગ્ટન સુંદર

07 March, 2021 11:30 AM IST  |  Ahmedabad

સદી ચૂક્યાનો અફસોસ નથી : વૉશિંગ્ટન સુંદર

વૉશિંગ્ટન સુંદર

ભારતે ગઈ કાલે મૅચ અને સિરીઝ જીતી ખુશી તો વ્યક્ત કરી હતી, પણ વૉશિંગ્ટન સુંદરની પહેલી સેન્ચુરી ન થવાને લીધે ક્રિકેટપ્રેમીઓ નારાજ થયા હતા તો કેટલાકે ઈશાન્ત શર્મા અને મોહમ્મદ સિરાજ પર ગુસ્સો ઉતાર્યો હતો. આ બધાથી વિપરીત વૉશિંગ્ટન સુંદરે કહ્યું કે પહેલી સેન્ચુરી ફટકારવા માટે મારો યોગ્ય સમય આવશે.

સુંદરે કહ્યું કે ‘મારા માટે ઘરઆંગણે પહેલી સિરીઝ જીતવી અદ્ભુત બાબત કહેવાય. ખરું કહું તો મારી સેન્ચુરી ચૂકી જવાનો મને જરાય અફસોસ નથી. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું સેન્ચુરી જરૂરથી ફટકારીશ. ટીમની જીતમાં મારું યોગદાન આપી હું ઘણો ખુશ છું. સાચું કહું તો પિચ બૅટિંગ માટે ઘણી સારી હતી. જેમ્સ ઍન્ડરસન અને બેન સ્ટોક્સે પણ સારી બોલિંગ કરી હતી.’

india england cricket news sports news ahmedabad