હું ફ્લેક્સિબલ છું, કોઈ પણ પોઝિશન પર બૅટિંગ કરવા તૈયાર : શ્રેયસ અય્યર

12 August, 2019 12:05 PM IST  |  પોર્ટ ઑફ સ્પેન

હું ફ્લેક્સિબલ છું, કોઈ પણ પોઝિશન પર બૅટિંગ કરવા તૈયાર : શ્રેયસ અય્યર

શ્રેયસ અય્યર

શ્રેયસ અય્યરનું માનવું છે કે તે ફ્લેક્સિબલ છે અને ટીમમાં કોઈ પણ ક્રમે બૅટિંગ કરવા તૈયાર છે. ટીમ-મૅનેજમેન્ટ ઘણા મહિનાઓથી ચોથા ક્રમ માટે રેગ્યુલર બૅટ્સમૅનની શોધમાં છે. ભારતની કૅરિબિયન ટૂરની ટીમનો મેમ્બર અય્યરની કૉમ્પિટિશન વન-ડે સિરીઝમાં રિષભ પંત અને લોકેશ રાહુલ સાથે છે. અય્યરે મીડિયાને કહ્યું કે ‘આ ટીમ-મૅનેજમેન્ટનો નિર્ણય છે. અમને કંઈ ખબર નથી. હું તેમને જઈને ન કહીં શકું કે મારે ચોથા ક્રમે રમવું છે. એવું ન થઈ શકે. ટીમ-મૅનેજમેન્ટ ડેફિનેટલી નવા પ્લેયરોને આ ક્રમે ટ્રાય કરશે. અત્યારે આ ક્રમે કોઈ ફિક્સ થયું નથી. પર્સનલી, હું ફક્ત ચોથા ક્રમે બૅટિંગ કરવા વિશે નથી વિચારી રહ્યો. હું કોઈ પણ ક્રમે રમવા તૈયાર છું. પ્લેયરે કોઈ પણ સિચુએશનમાં એ તકનો લાભ લેવો જોઈએ. વરસાદને કારણે અમને બહુ ઓછી પ્રૅક્ટિસ કરવાનો મોકો મળે છે છતાં મળેલી તકનો લાભ લેવાનો પ્રયત્ન કરીશ. ટી૨૦માં ભારતે વેસ્ટ ઇન્ડીઝનો વાઇટવૉશ કર્યો હતો અને વન-ડેમાં પણ ભારતનો હાથ ઉપર રહેશે.’

આ પણ વાંચો : કૅપ્ટન વિરાટ કોહલીની સેન્ચુરીથી ભારત ડ્રાઇવિંગ સીટ પર

ગઈ કાલે તે પાંચમાં ક્રમે બૅટિંગ કરવા આવ્યો હતો અને ૭૧ રન કર્યા હતા.

shreyas iyer sports news cricket news india west indies