યોગી આદિત્યનાથે કૅબિનેટ મિનિસ્ટરો સાથે મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી

23 January, 2025 12:25 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

યોગી આદિત્યનાથે ગઈ કાલે પ્રયાગરાજના અરૈલમાં આવેલા ત્રિવેણી સંકુલમાં કૅબિનેટની બેઠક યોજી હતી

મિનિસ્ટરો નદીમાં એકબીજા પર પાણી ઉડાડતા પણ જોવા મળ્યા હતા.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે પ્રયાગરાજના અરૈલમાં આવેલા ત્રિવેણી સંકુલમાં કૅબિનેટની બેઠક યોજી હતી અને મીડિયાને કૅબિનેટમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપી હતી. ત્યાર બાદ તેમણે કૅબિનેટના સાથી પ્રધાનો સાથે મિની ક્રૂઝમાં બેસીને ત્રિવેણી સંગમ તટે આવીને હસીમજાક અને ખૂબ જ ઉત્સાહિત વાતાવરણમાં મહાકુંભમાં આસ્થાની ડૂબકી 
લગાવી હતી. આ મિનિસ્ટરો નદીમાં એકબીજા પર પાણી ઉડાડતા પણ જોવા મળ્યા હતા.

national news india kumbh mela uttar pradesh yogi adityanath religious places