Video: જ્યારે નારાજ થયા ભગવાન શંકર અને તેમને મનાવ્યા પાર્વતીજીએ...

13 July, 2019 03:33 PM IST  |  મુંબઈ

Video: જ્યારે નારાજ થયા ભગવાન શંકર અને તેમને મનાવ્યા પાર્વતીજીએ...

જ્યારે નારાજ થયા ભગવાન શંકર........

ભગવાન શંકર નારાજ થઈ ગયા..અને સ્થળ છોડી ચાલ્યા ગયા અને તેમને મનાવવા તેમની પાછળ પાછળ ગયા દેવી પાર્વતીજી, નંદી અને પુત્ર ગણેશ. સવાલ એ છે કે આખરે એવું તે શું થયું કે ભગવાન શંકર આટલા બધા નારાજ થઈ ગયા કે તેમને મનાવવા ભારે પડી ગયા.

થયું એવું તે શંકર ભગવાન આવી ચડ્યા પૃથ્વી પર. નહીં નહીં સાક્ષાત ભગવાન નહીં. એક કલાકારે ભગવાનનો વેશ ધારણ કર્યો અને પહોંચી ગયા શૂટિંગ કરવા. ભગવાન એટલે કે જે કલાકાર ભૂમિકા ભજવી રહ્યા હતા તેઓ કદાચ પહેલી વાર શૂટ કરી રહ્યા હતા. એટલે વારંવારના રીટેકથી તેઓ પરેશાન થઈ ગયા અને ભગવાન શંકરની જેમ ક્રોધિત થઈ ગયા. કલાકાર સેટ છોડીને ચાલવા માંડ્યો. અને તેની પાછળ જવા લાગ્યા ડાયરેક્ટર, પ્રોડ્યૂસર, નંદી, પાર્વતીજી અને ગણેશજી. જરા આ વીડિયો પર કરો નજર..

શિવજીનો ક્રોધ તો બધા જાણે છે. અને આ કલાકાર પણ જાણે પાત્રમાં પુરા ઉતરી ગયા હતા એમ શૂટિંગ કરવાની જ ન પાડી દીધી. અનેક વાર મનાવવા છતા ન માન્યા. કોઈનું ન માન્યા. તેમના કારણે શૂટિંગ અટકી પડ્યો. ડિરેક્ટર અને કલાકાર વચ્ચે ટસલ પણ થઈ ગઈ. પણ ભગવાન ન માન્યા તે ન જ માન્યા.

શંકર ભગવાન જ્યારે ક્રોધિત થાય ત્યારે તેમને માત્ર એક જ વ્યક્તિ શાંત કરી શકે છે અને તે છે માતા પાર્વતી. આખરે માતા પાર્વતીએ જ તેમને શાંત કર્યા અને બધું પૂર્વવત થઈ ગયું.

આ પણ વાંચોઃ સંસ્કારી નગરી વડોદરા પાસેની આ જગ્યાઓની અચૂક લો મુલાકાત...

ઘટના એક શૂટિંગ દરમિયાનની છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો ક્યાંનો છે તેની પુષ્ટિ નથી થઈ શકી. પરંતુ તેમાં હિન્દી સ્થાનિક ભાષાની છાંટ સાથે બોલાતી જોવા મળી રહી છે. જે પણ હોય પરંતુ વાયરલ થયેલા આ વીડિયોએ લોકોને મજા કરાવી છે.

national news gujarati mid-day