28 October, 2019 08:21 AM IST | પુંછ
જવાનો સાથે પીએમ મોદી
દેશવાસીઓ દિવાળીનો તહેવાર ઊજવી રહ્યા છે ત્યારે દેશની સીમા પર તહેનાત રહીને દેશની રક્ષા કરી રહેલા લશ્કરના જવાનો સાથે દિવાળીની ખુશીઓ વહેંચવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે સવારે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, આર્મી ચીફ બિપિન રાવત અને લશ્કરના અન્ય અધિકારીઓ રાજૌરી અને પુંછ જિલ્લામાં પહોંચી ગયા હતા. વડા પ્રધાન મોદીએ જવાનોને દિવાળીની શુભકામના આપીને મીઠાઈ વહેંચી હતી.
આ પણ જુઓઃ સિતારાઓથી સજી એકતા કપૂરની દિવાળી પાર્ટી, જુઓ ફોટોસ
નરેન્દ્ર મોદીએ જવાનોને કહ્યું હતું કે લશ્કરના જવાનોના પ્રતાપે જ દેશના લોકો પોતાનાં ઘરમાં શાંતિથી દિવાળી ઊજવી રહ્યા છે. નરેન્દ્ર મોદી સાથે દિવાળી ઊજવીને ઉત્સાહી બનેલા લશ્કરના જવાનોએ કહ્યું હતું કે એલઓસી પર આવીને અમારી સાથે વડા પ્રધાને દિવાળી ઊજવી એનાથી અમારું મનોબળ મજબૂત બન્યું છે.