ઉત્તરાખંડમાં મદરેસાના અભ્યાસક્રમમાં ઑપરેશન સિંદૂરનો સમાવેશ

21 May, 2025 01:19 PM IST  |  Dehradun | Gujarati Mid-day Correspondent

પહેલગામમાં કાયરતાપૂર્ણ કૃત્ય કરીને ઘણા પ્રવાસીઓને મારી નાખનારા આતંકવાદીઓ સામે કેવી રીતે બદલો લેવામાં આવ્યો એ જાણી શકે.

પ્રતીકાત્મક તસવીર

ઉત્તરાખંડના મદરેસા બોર્ડે નિર્ણય લીધો છે કે આ સત્રથી રાજ્યના મદરેસાના અભ્યાસક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવશે અને એમાં ઑપરેશન સિંદૂરનો સમાવેશ કરવામાં આવશે. કાસમીએ કહ્યું હતું કે ‘ભારતીય સેનાએ ઑપરેશન સિંદૂર દ્વારા રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. આવી સ્થિતિમાં આપણે બધાં બાળકોને આ કેમ ન શીખવીએ? એટલા માટે એને મદરેસાના અભ્યાસક્રમમાં સામેલ કરવાનું કહેવામાં આવ્યું છે. આપણા દેશનાં બાળકો પણ ઑપરેશન સિંદૂરનો અભ્યાસ કરી શકે, દેશની સેનાએ દેશનું ગૌરવ કેવી રીતે વધાર્યું અને પહેલગામમાં કાયરતાપૂર્ણ કૃત્ય કરીને ઘણા પ્રવાસીઓને મારી નાખનારા આતંકવાદીઓ સામે કેવી રીતે બદલો લેવામાં આવ્યો એ જાણી શકે.’

operation sindoor uttarakhand india pakistan ind pak tension national news news Education