08 April, 2024 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કંગના રનોટની ફાઈલ તસ્વીર
બોલિવૂડ અભિનેત્રી અને આ વખતે મંડીથી ભાજપની લોકસભા ઉમેદવાર તરીકે ઊભી રહેલી (Lok Sabha Election) કંગના રનૌતે (Kangana Ranaut) તાજતેરમાં જ એક ટ્વિટ કર્યું હતું. એક્ટ્રેસે આ ટ્વિટમાં જણાવ્યું હતું કે તે પોતે ગૌમાંસ કે અન્ય કોઈપણ પ્રકારના રેડ મીટનું સેવન કરતી નથી. આ સાથે જ તેણે જણાવ્યું હતું કે આ શરમજનક છે કે મારા વિશે સંપૂર્ણ પાયાવિહોણી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.
વિક્રમાદિત્ય સિંહે કરી આ વાત પછી ભડકી કંગના
કૉન્ગ્રેસની સુખુ સરકારમાં કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે હમણાં જ કંગનાનું નામ લીધા વગર એક વિવાદાસ્પદ વાત કરી હતી. વિક્રમાદિત્ય સિંહે જણાવ્યું હતું કે, “હિમાચલ એ દેવી-દેવતાઓનું પવિત્ર સ્થળ છે. તે દેવભૂમિ છે. જે લોકો બીફનું સેવન કરે છે તેઓ અહીં ચૂંટણી લડે તે અહીંની સંસ્કૃતિ માટે ચિંતાનો વિષય છે, જેને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી.”
કંગનાની એક જૂની પોસ્ટ થઈ છે વાયરલ
ઘણા લોકોએ જૂના સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા છે. જેમાં કંગના (Kangana Ranaut) વતી લખવામાં આવ્યું હતું કે બીફ ખાવામાં કોઈ નુકસાન નથી. કંગનાના હેન્ડલે મે 2019માં ટ્વીટ કર્યું હતું કે, બીફ અથવા કોઈપણ માંસ ખાવામાં કંઈ ખોટું નથી. આ કોઈ ધર્મની વાત નથી, એ વાત છૂપી નથી કે કંગના 8 વર્ષ પહેલા શાકાહારી બની ગઈ છે અને તેણે યોગીની જેમ જીવવાનું પસંદ કર્યું છે.
જય શ્રીરામ સાથે કંગનાએ આ વાતનો કર્યો ખુલાસો
Lok Sabha Election: જ્યારે વિક્રમાદિત્યએ કંગના પર આ રીતે નિશાન સાધ્યું ત્યારબાદ કંગના ભડકી ગઈ હતી. તેણે આ આરોપો કહ્યું હતું કે હું ગૌમાંસ કે અન્ય કોઈ પ્રકારનું રેડ મીટ ખાતી નથી. આ તદ્દન નિંદનીય છે અને મારા વિરુદ્ધ પાયાવિહોણી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. હું ઘણા વર્ષોથી હંમેશા યોગિક અને આયુર્વેદને સમર્થન અને પ્રોત્સાહન આપું છું. હવે મારી ઈમેજને ખરડાવવાની આવી યુક્તિઓની કોઈ અસર નહીં થાય. મારા લોકો જાણે છે કે હું ગૌરવપૂર્ણ હિંદુ છું. તેમને કોઈ ગેરમાર્ગે દોરી શકે નહીં. જય શ્રી રામ.``
કંગના રણોતનાં આ જવાબ બાદ અનેક લોકો પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે
તમને જણાવી દઈએ કે કંગનાની આ પોસ્ટ પર અનેક લોકો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે તો કંગનાની તરફેણમાં એને આશ્વાસન આપતો હોય તેમ જણાવ્યું હરું કે `તમારે આવી પાયાવિહોણી અફવાઓથી પરેશાન ન થવું જોઈએ. કંગના મેડમ, તમારી એનર્જી વેડફશો નહીં. હા, જે લોકો તમને ટેકો આપે (Lok Sabha Election) છે તેઓ તમને ઓળખે છે. બીજાને ગમે તેટલું બોલવા દો. તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે, `કંગના પોતાના મન, શરીર અને આત્માનાં શુદ્ધિકરણ માટે માટે માત્ર ગાયનું છાણ આરોગે છે’