26 September, 2021 07:26 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાત ગુલાબે રવિવારે સાંજે તેની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ કરી હતી. સિસ્ટમ આગામી ત્રણ કલાક દરમિયાન 75-85 કિમી પ્રતિ કલાકની મહત્તમ સ્થિર પવનની ગતિ સાથે 96 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સાથે ચક્રવાતી તોફાન કલિંગપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચે ઉત્તર આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.
ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતને પગલે ચેતવણી અને લેન્ડફોલની તપાસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ચક્રવાત ગુલાબ લગભગ પશ્ચિમ તરફ આગળ વધી અને ઉત્તર આંધ્રપ્રદેશ, દક્ષિણ ઓડિશા કિનારે કલિંગપટ્ટનમ અને ગોપાલપુર વચ્ચેથી પસાર થવાની સંભાવના છે.
દરમિયાન, ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ODRAF)ની 42 જેટલી ટીમો અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 24 ટુકડીઓ, ફાયર બ્રિગેડના જવાનોની લગભગ 102 ટીમો સાથે ગંજમ, ગજપતિ, કંધમાલ, કોરાપુટ, રાયગડા, નબરંગપુર અને મલકાનગિરીના સાત ઓળખાયેલા જિલ્લાઓમાં મોકલવામાં આવી છે.
ચક્રવાતી તોફાન ગુલાબના પ્રભાવ હેઠળ, જે રવિવારે સાંજે ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા વચ્ચે લેન્ડફોલ થવાની સંભાવના છે, મહારાષ્ટ્રના તમામ 36 જિલ્લા સોમવાર અને મંગળવારે ભારે વરસાદની ચેતવણી હેઠળ છે.
આ તોફાન પશ્ચિમ દિશા તરફ વળાંક લે તેવી સંભાવનાને પગલે હવામાન વિભાગે વિદર્ભ, મરાઠાવાડા અને ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં રવિવાર સાંજ અને સોમવાર અને મંગળવારથી ભારેથી અતિ ભારે વરસાદ અને મજબૂત પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. કોંકણ પ્રદેશના ભાગોમાં 27 અને 28 સપ્ટેમ્બરના રોજ વાવાઝોડું, વીજળી અને જોરદાર પવન સાથે અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાય.એસ. જગન મોહન રેડ્ડી સાથે વાત કરી સ્થિતિની સમીક્ષા કરી હતી.વડા પ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે “કેન્દ્ર તરફથી તમામ સંભવિત સહાયની ખાતરી આઅ છું. હું દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.”