10 May, 2021 12:46 PM IST | New Delhi | Agency
પ્રતીકાત્મક તસવીર
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪,૦૩,૭૩૮ નવા કેસ નોંધાતા કોરોના વાઇરસ સંક્રમિતોનો આંકડો ૨,૨૨,૯૬,૪૧૪ પર પહોંચ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા ગઈ કાલે જાહેર કરવામાં આવેલી આંકડાકીય વિગતોમાં જણાવાયું હતું.
એક દિવસમાં ૪૦૯૨ મરણ થવા સાથે દેશમાં કોવિડ સંક્રમિતોનો મરણાંક ૨,૪૨,૩૬૨ રહ્યો છે, જે ૧.૦૯ ટકા જેટલો હોવાનું સવારે આઠ વાગ્યે જાહેર કરવામાં આવેલી આંકડાકીય વિગતોમાં જણાવાયું હતું. એક્ટિવ કેસમાં સતત વધારો નોંધાતા કુલ એક્ટિવ કેસ ૩૭,૩૬,૬૪૮ થયા છે, જે કુલ કેસ-લોડના ૧૬.૭૬ ટકા છે. એક દિવસમાં ૩,૮૬,૪૪૪ પેશન્ટ રિકવર થતાં અત્યાર સુધીમાં કુલ ૧,૮૩,૧૭,૪૦૪ લોકોએ રિકવરી પ્રાપ્ત થઈ છે, જે ૮૨.૧૫ ટકા જેટલો છે.