અમદાવાદ પ્લેન ક્રૅશ બાદ,ઍર ઈન્ડિયાના 112 પાઇલટ્સે મેડિકલ લીવ લીધી,શું હતું કારણ?

25 July, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

112 Pilots take Leave after Ahmedabad Plane Crash: કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના ચાર દિવસ પછી, 16 જૂને 112 પાઇલટ્સે મૅડિકલ લીવ લીધી હતી. વાંચો સરકારે આ પાછડ શું કારણ આપ્યો...

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના ચાર દિવસ પછી, 16 જૂને 112 પાઇલટ્સે મૅડિકલ લીવ લીધી હતી. તમને જણાવી દઈએ કે 12 જૂને અમદાવાદ ઍરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ ઍર ઇન્ડિયાનું બોઇંગ 787-8 વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 260 લોકોના મોત થયા હતા. વિમાનમાં સવાર 242 લોકોમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો હતો. વિમાન બિલ્ડિંગ સાથે અથડાતાં ત્યાં હાજર 19 લોકોનું પણ મૃત્યુ થયું હતું.

નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે મેડિકલ રજા લેનારા ઍર ઇન્ડિયાના પાઇલટ્સની સંખ્યામાં થોડો વધારો થયો છે. અમદાવાદ વિમાન દુર્ઘટના પછી, 16 જૂને કુલ 112 પાઇલટ્સ બીમાર હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં 51 કમાન્ડર (P1) અને 61 ફર્સ્ટ ઑફિસર (P2)નો સમાવેશ થાય છે.

હકીકતમાં, એક સભ્ય જાણવા માગતો હતો કે શું ઍર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પછી ક્રૂ મેમ્બર્સ મોટા પાયે બીમાર હોવાની જાણ કરી રહ્યા છે. તેમના જવાબમાં, મંત્રીએ કહ્યું કે ઍર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 દુર્ઘટના પછી ઍરલાઇનના પાઇલટ્સમાં માંદગીની રજામાં થોડો વધારો થયો છે.

જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2023 માં ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (Directorate General of Civil Aviation) દ્વારા જાહેર કરાયેલા મેડિકલ સર્ક્યુલરમાં, ઍરલાઇન્સને માનસિક સ્વાસ્થ્ય સ્થિતિની પ્રતિકૂળ અસરોને સંબોધવા માટે ક્રૂ/ATCO (ઍર ટ્રાફિક કંટ્રોલર્સ) માટે એક અલગ તાલીમ સત્ર યોજવાની સલાહ આપવામાં આવી હતી.

આ ઉપરાંત, માનસિક સ્વાસ્થ્ય દેખરેખના સંદર્ભમાં, સંસ્થાઓ (શિડ્યુલ્ડ અને નોન-શિડ્યુલ્ડ ઑપરેટરો, ફ્લાઇટ તાલીમ સંસ્થાઓ અને ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા) ને પણ તેમના કર્મચારીઓ માટે મદદ કાર્યક્રમ શરૂ કરવાની સલાહ આપવામાં આવી હતી. બીજા પ્રશ્નના જવાબમાં, મંત્રીએ જણાવ્યું હતું કે હાલમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસે વિમાન અકસ્માતોને કારણે જમીન પર નાગરિકોને થતા નુકસાન માટે વળતર અંગે કોઈ ચોક્કસ નીતિ નથી.

તાજેતરમાં, ઍર ઇન્ડિયાએ પોતાના બધા બોઇંગ 787 અને બોઇંગ 737 વિમાનોના ઈંધણ નિયંત્રણ સ્વિચના લૉકિંગ સિસ્ટમ માટેની સાવચેતીના પગલાંરૂપે કરવામાં આવેલું નિરીક્ષણ પૂરું કરી લીધું છે. રૉયટર્સ પ્રમાણે વિમાન કંપનીએ જણાવ્યું કે નિરીક્ષણમાં કોઈ ખામી મળી નથી. ઍર ઈન્ડિયાએ સુરક્ષા માનકોનું પાલન કરતાં આ પગલું લીધું છે જેથી વિમાનોનું સંચાલન યોગ્ય રીતે ચાલુ રહે. હકીકતમાં, AAIBના રિપોર્ટમાં જણાવાયું છે કે બંને વિમાનોના ફ્યુઅલ કટ-ઑફ સ્વીચ એકબીજાથી થોડીક સેકન્ડના અંતરાલ પર `રન` થી `કટ-ઑફ` માં બદલાઈ ગયા હતા. રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે કોકપીટ વૉઇસ રેકોર્ડિંગમાં, જ્યારે એક પાઇલટ બીજાને પૂછે છે કે તમે એન્જિન કેમ બંધ કર્યું, ત્યારે બીજો પાઇલટ જવાબ આપે છે કે તેણે આવું કર્યું નથી.

air india aircraft accident investigation bureau of india AAIB ahmedabad plane crash ahmedabad national news news indian government Lok Sabha