જીવનાવશ્યક વસ્તુઓના ભાવ પાંચ વર્ષ સ્થિર GSTમાં સુધારો, પેટ્રોલ-ડીઝલ-ગૅસના ભાવમાં ઘટાડો
ફાઇલ તસવીર
ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે લોકસભાની ચૂંટણી માટે તેમના પક્ષનો મૅનિફેસ્ટો જાહેર કર્યો હતો. એમાં ખેડૂતોને કર્જમાફી, GSTમાં સુધારો અને સત્તાનું વિકેન્દ્રીકરણ કરવા સહિતનાં આશ્વાસન આપવામાં આવ્યાં છે.
અન્ય મહત્ત્વની જાહેરાત
- ગ્રામીણ ભાગમાં મોટા પ્રમાણમાં નોકરીઓ ઉપલબ્ધ કરાવીશું
- દરેક જિલ્લામાં અત્યાધુનિક યંત્રણા લાવવામાં આવશે
- ખેડૂતોને આપવામાં આવતા પાકવીમાના નિયમમાં ફેરફાર કરવામાં આવશે
- ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે
- જરૂર હશે ત્યાં માર્કેટની સુવિધા શરૂ કરવામાં આવશે
- જીવનજરૂરી વસ્તુઓના ભાવ પાંચ વર્ષ સ્થિર રાખીશું
- મહારાષ્ટ્રનો વૈભવ પાછો લાવીશું
- વિવિધ ટૅક્સ ઓછા કરીને પેટ્રોલ, ડીઝલ અને LPG ગૅસની કિંમતમાં ઘટાડો કરીશું
- મરાઠીને અભિજાત ભાષાનો દરજ્જો અપાવીશું
૫૦૦ રૂપિયામાં ગૅસ-સિલિન્ડર આપવાનો વાયદો કર્યો શરદ પવારની પાર્ટીએ
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)નો ગઈ કાલે લોકસભાની ચૂંટણી માટે પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે મૅનિફેસ્ટો જાહેર કર્યો હતો. એમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને પચાસ ટકા આરક્ષણ આપવાની સાથે ભારતીય સેનામાં જોડાવા માટેની અગ્નિવીર યોજનાને રદ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી.
અન્ય મહત્ત્વની જાહેરાત
- ઘરવપરાશનું ગૅસ-સિલિન્ડર ૫૦૦ રૂપિયામાં આપવામાં આવશે
- પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવામાં આવશે
- ડિગ્રી પાસ કરનારા યુવકોને મહિને ૮૫૦૦ રૂપિયા સ્ટાઇપન્ડ આપવામાં આવશે
- મહિલાઓની શિક્ષણની મુશ્કેલી દૂર કરવામાં આવશે
- ખેતીની વસ્તુઓ પરનો GST કાઢી નાખવામાં આવશે
- જાતિઆધારિત વસ્તીગણતરી કરવાની માગણી કરવામાં આવશે