ઘાટકોપરમાં ચાલ ધસી પડતાં ત્રણ જણને ઈજા, મુલુંડમાં દીવાલ ધસી પડતાં એક વ્યક્તિનું મોત

19 June, 2021 10:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુધરાઈએ આપી માહિતી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના ઘાટકોપર ખાતે એક ચાલની દીવાલ ગુરુવારે મધરાતે પડી જતાં ત્રણ વ્યક્તિને નાની ઈજા થઈ હોવાનું સુધરાઈએ જણાવ્યું હતું.

સુધરાઈના જણાવ્યા અનુસાર મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકમાં દીવાલ અને ઘર પડવાની ૧૧ ઘટનાઓ બની હતી. ગઈ કાલે રાતે મુલુંડ ખાતે દીવાલ ધસી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું.

mumbai mumbai news ghatkopar mulund