04 May, 2021 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૩૦ વર્ષના માનસિક રીતે ભાંગી પડેલા યુવકે રવિવારે જોગેશ્વરીની એક ઇમારતના ચોથા માળેથી છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. મૃતક નીલેશ સકપાલ એક ખાનગી ફર્મમાં બૅક-ઑફિસ કર્મચારી તરીકે કામ કરતો હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘નીલેશ સકપાલ ગણેશનગર ખાતે આવેલા સાંઈ લીલા અપાર્ટમેન્ટ ખાતેના તેના ઘરમાં હતો ત્યારે આ ઘટના રવિવારે બપોરે બની હતી. છેલ્લાં ચાર વર્ષથી નીલેશ કોઈ મનોવૈજ્ઞાનિક સમસ્યા માટે સારવાર લઈ રહ્યો હતો અને તે હતાશાથી પીડાતો હતો.’
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘રવિવારે તેનો ભાઈ અને અન્ય એક સંબંધી તેને મળવા ગયા ત્યાર બાદ નીલેશે ચોથા માળેથી છલાંગ લગાવી. તેને મહાનગરપાલિકા દ્વારા સંચાલિત હૉસ્પિટલમાં લઈ જવાયો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.’ આ મામલે ઓશિવરા પોલીસ-સ્ટેશનમાં આકસ્મિક મોતનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.