કોરોના પૉઝિટિવ શરદ પવારના નરેન્દ્ર મોદીએ પૂછ્યા ખબરઅંતર

25 January, 2022 08:01 AM IST  |  Mumbai | Agency

‘વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ મારા ખબરઅંતર પૂછવા માટે મને ફોન કર્યો હતો. તેમની શુભેચ્છા બદલ હું તેમનો આભારી છું.’

કોરોના પૉઝિટિવ શરદ પવારના નરેન્દ્ર મોદીએ પૂછ્યા ખબરઅંતર

એનસીપી પ્રમુખ શરદ પવારે સોમવારે જણાવ્યું હતું કે મારી કોરોના-ટેસ્ટ પૉઝિટિવ આવી છે, પણ હું સ્વસ્થ છું. એમ તેમણે ટ્વીટ કર્યું હતું કે ‘મારી કોરોના-ટેસ્ટ પૉઝિટિવ આવી છે, પણ ચિંતા કરવાનું કોઈ કારણ નથી. હું ડૉક્ટરે સૂચવેલી સારવારનું પાલન કરી રહ્યો છું.’
તેમણે છેલ્લા કેટલાક દિવસોમાં તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અને તમામ જરૂરી તકેદારી રાખવાની વિનંતી કરી હતી.
અન્ય એક ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું, ‘વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ મારા ખબરઅંતર પૂછવા માટે મને ફોન કર્યો હતો. તેમની શુભેચ્છા બદલ હું તેમનો આભારી છું.’

Mumbai mumbai news coronavirus covid19 sharad pawar narendra modi