પીએમને લીધે અંધેરીમાં ગુંદવલી સ્ટેશનની આસપાસની ખાઉગલી અને દુકાનો બંધ

20 January, 2023 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેટ્રો સ્ટેશનની પાસે આવેલી ખાઉગલી બંધ રહી હતી

તસવીર : ઉર્વી શાહ મેસ્ત્રી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે મેટ્રો ૨એ અને મેટ્રો ૭નું ઉદ્ઘાટન કરવા માટે અંધેરી-ઈસ્ટના ગુંદવલી સ્ટેશને આવ્યા હતા. ત્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ મેટ્રો સ્ટેશનની પાસે આવેલી ખાઉગલી બંધ રહી હતી. વળી બુધવારે સાંજે ગુરુનાનક પેટ્રોલ-પમ્પ પાસેના ફેરિયાઓ પર ઍક્શન લઈને તેમને હટાવવામાં આવ્યા હતા, રસ્તા પર વાહનો પાર્ક કરવા દેવાયાં નહોતાં અને આસપાસની મોટા ભાગની દુકાનો પણ બંધ જ રહી હતી.  

mumbai mumbai news narendra modi mumbai metro