IPLની ટ્રૉફી નીતા અંબાણીએ અર્પણ કરી ભગવાન કૃષ્ણના ચરણોમાં

14 May, 2019 07:00 PM IST  |  મુંબઈ

IPLની ટ્રૉફી નીતા અંબાણીએ અર્પણ કરી ભગવાન કૃષ્ણના ચરણોમાં

નીતા અંબાણીએ ટ્રૉફી ભગવાનના ચરણોમાં અર્પણ કરી

મુંબઈ ઈન્ડિયન્સે ચોથી વાર IPLનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. રોહિત શર્માએ MIને ચોથી વાર ચેમ્પિયન બનાવ્યું છે. આ ટીમના માલિક નીતા અંબાણી છે. જેઓ ઘણીવાર પોતાની ટીમનો ઉત્સાહ વધારવા પહોંચે છે. અનેક વાર એવું પણ જોવા મળ્યું છે કે જ્યારે ટીમ ફસાયેલી હોય ત્યારે નીતા અંબાણી પ્રાર્થના કરવા લાગે છે.


મુંબઈ ઈન્ડિયન્સને મળેલી જીતથી નીતા અંબાણી ખૂબ જ ખુશ છે. આ જ કારણ છે કે નીતા અંબાણી હૈદરાબાદથી પાછા આવ્યા બાદ IPLની ટ્રૉફીને લઈને મુંબઈના જુહુમાં આવેલા મંદિરે પહોંચ્યા. જ્યાં તેમણે ટ્રૉફીને ભગવાન શ્રીકૃષ્ણની સામે રાખી અને પુજારીઓ પાસે મંત્રોચ્ચાર સાથે પૂજા કરાવી.

આ પણ વાંચોઃ મુંબઈ ઈન્ડિયન્સની પલટનનું ધમાકેદાર સેલિબ્રેશન, જુઓ ફોટોઝ

મુંબઈ ઈન્ડિયન્સના ઑફિશિયલ ટ્વિટ્ટર અકાઉન્ટ પર આ વીડિયો શે કરવામાં આવ્યો છે. વીડિયોમાં નીતા અંબાણી જય શ્રી કૃષ્ણ પણ કહે છે. નીતા અંબાણી ટીમને એક પરિવારની જેમ ટ્રીટ કરે છે. અને મુંબઈની બહાર થતા મેચમાં દીકરા આકાશ સાથે જાય પણ છે.

mumbai indians nita ambani Ipl 2019