22 June, 2022 01:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)
મહારાષ્ટ્રના રાજનૈતિક ઘમાસાણ વચ્ચે મુંબઈ પહોંચેલા કૉંગ્રેસના પ્રયવેક્ષક કમલનાથે કહ્યું કે તે ઉદ્ધવ ઠાકરેને હાલ નહીં મળે કારણકે તેઓ કોરોના પૉઝિટીવ આવ્યા છે. કમલનાથે કહ્યું કે તે શરદ પવારને મળવા જઈ રહ્યા છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં ચાલતી રાજનૈતિક ઉથલપાથલ વચ્ચે કમલનાથને કૉંગ્રેસ પાર્ટીએ ઑબ્ઝર્વર બનાવ્યા છે.
આ પહેલાસ મહારાષ્ટ્ર સરકાર પર આવેલા સંકટને લઈને કૉંગ્રેસ નેતા અને રાજ્યમાં મંત્રી બાળા સાહેબ થોરાટના નિવાસ સ્થાને પાર્ટી નેતાઓની બેઠક થઈ. કમલનાથે કહ્યું કે કૉંગ્રેસ વિધેયક દળની બેઠક થઈ જેમાં બધા 44 વિધેયકોએ ભાગ લીધો.