16 November, 2022 09:07 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
જામીન પર બહાર આવેલા શિવસેનાના સાંસદ સંજય રાઉત (Sanjay Raut)ને ED તરફથી નોટિસ મળી છે. નોટિસમાં પૂછપરછ માટે હાજર થવાનું કહેવામાં આવ્યું છે. સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાંથી સંજય રાઉતને જામીન આપતી વખતે પૂછપરછ અને તપાસમાં તેમની તરફથી સહકારની શરત કરી હતી. ઇડી દ્વારા કેસમાં તપાસ હજુ પણ ચાલુ છે. તેથી જ કેસમાં પૂછપરછ માટે ફરી એકવાર સંજય રાઉતને હાજર થવાની નોટિસ મોકલવામાં આવી છે. 18 નવેમ્બરે સંજય રાઉતને પૂછપરછ માટે હાજર થવા માટે નોટિસ મોકલવામાં આવી છે.
લગભગ 100 દિવસ પછી, શિવસેનાના નેતા સંજય રાઉતને બુધવારે (9 નવેમ્બર, 2022) કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. હવે EDએ ફરી સંજય રાઉતને તપાસ માટે નોટિસ મોકલી છે. તે સિવાય EDએ કોર્ટમાં અરજી કરી છે કે સંજય રાઉતના જામીન રદ કરવામાં આવે.
સંજય રાઉતના જામીન રદ કરવા માટે ED વતી બોમ્બે હાઈકોર્ટમાં સુધારેલી અરજી દાખલ કરવામાં આવી છે. ગયા અઠવાડિયે તાકીદની સુનાવણી માટે ઉતાવળમાં દાખલ કરાયેલી અરજી બાદ હાઈકોર્ટે EDને સુધારેલી અરજી દાખલ કરવાની પરવાનગી આપી હતી. ટૂંક સમયમાં સંજય રાઉત પણ કોર્ટમાં આનો જવાબ આપશે. જસ્ટિસ ભારતી ડાંગરે સમક્ષ 25 નવેમ્બરથી સુનાવણી શરૂ થશે. બોમ્બે સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીન સામે EDએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.
આ પણ વાંચો: મલાડની પ્રતિષ્ઠિત કૉલેજમાં વિદ્યાર્થીઓને ગુજરાતીમાં વાત કરવાની મનાઈ ફરમાવાઈ