15 October, 2021 05:01 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ઉદ્ધવ ઠાકરે
કોઈ પણ ગુનાઓ અંગે જલદી અને સચોટ તપાસ થાય તે માટે મહારાષ્ટ્ર સરકારે એક નિર્ણય લીધો છે. ગુનાની શોધ અને નિવારણને ઝડપી બનાવવાની અપેક્ષા સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે મહારાષ્ટ્ર પોલીસના પ્રસ્તાવને મંજૂરી આપી કે પોલીસ કોન્સ્ટેબલને સીધા પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર બઢતી આપવામાં આવે.
મુખ્યપ્રધાનના આ નિર્ણયને ક્રાંતિકારી નિર્ણય ગણાવતાં શિવસેનાના નેતાએ કહ્યું કે પોલીસ કર્મચારીઓને તેમની કારકિર્દીમાં આગળ વધવાની વધુ તકો મળશે અને સૌથી અગત્યનું, આ પગલાથી ગુનાની શોધ અને સમસ્યાનું નિવારણ ઝડપી બનશે.
રાજ્યએ પોલીસ કોન્સ્ટેબલને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે અગાઉ બઢતી આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. એક ક્રાંતિકારી નિર્ણયમાં પોલીસ દળને તેમની કારકિર્દીમાં આગળ વધવાની વધુ તકો મળશે અને સૌથી અગત્યનું ગુના શોધ અને નિવારણને ઝડપી બનાવશે.