13 February, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજયોગિની બ્રહ્માકુમારી ડૉ. નલિની દીદી
બ્રહ્માકુમારીઝના સેન્ટ્રલ મુંબઈ સેન્ટરનાં ડિરેક્ટર રાજયોગિની ડૉ. નલિની દીદીનું રવિવારે ૮૩ વર્ષની જૈફ વયે નિધન થયું હતું. તેમની સ્નેહાંજલિ સભા આવતી કાલે ગુરુવારે સાંજના પાંચથી સાત વાગ્યા સુધી શ્રીમતી ભૂરીબેન લક્ષ્મીચંદ ગોળવાલા ઑડિટોરિયમ, એસએનડીટી કૉલેજની બાજુમાં, ઘાટકોપર-વેસ્ટમાં આયોજિત કરવામાં આવી છે.