01 September, 2025 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કબૂતરને ચણ નાખવાના મુદ્દે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યાં હતાં. આ અંગે BMCને ૩૦૦ જેટલાં સૂચનો અને વાંધા દર્શાવતા પ્રતિસાદ મળ્યા છે. આવતા અઠવાડિયે BMC આ પ્રતિસાદની ચકાસણી કરશે. ત્યાર બાદ આ વિષય પર નિર્ણય લેવા માટે બનાવેલી સમિતિને રિપોર્ટ સબમિટ કરવામાં આવશે.
કબૂતરને નિયંત્રિત સમયે ચણ નાખવા અંગે નિર્ણય લેતાં પહેલાં બૉમ્બે હાઈ કોર્ટે BMCને લોકો પાસેથી મત લેવાનું સૂચન આપ્યું હતું. તેથી BMCએ કબૂતરોને ચોક્કસ સ્થળે નિશ્ચિત સમયે દાણા નાખવાના પ્રસ્તાવ પર વાંધો હોય અથવા આ મુદ્દે કોઈ સૂચન હોય તો ૧૮ ઑગસ્ટથી ૨૯ ઑગસ્ટ સુધીમાં જણાવવાનું કહ્યું હતું. અગાઉ નિયંત્રિત પ્રમાણમાં ચણ નાખવા અંગે BMCને ત્રણ અરજીઓ મળી હતી. એ અરજીઓને ધ્યાનમાં લઈને સૂચનો આપવાની સલાહ BMCએ આપી હતી.