અશ્લીલતા અને કોરોનાના નિયમોનો ભંગ કરવા બદલ થાણેના બારમાંથી ૫૬ લોકોની ધરપકડ

15 September, 2021 08:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અશ્લીલતા અને કોરોનાના નિયમોનો ભંગ કરવા બદલ થાણેના બારમાંથી વેઇટ્રેસિસ સહિત ૫૬ લોકોની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

પોલીસે બાતમીના આધારે ડોમ્બિવલીના માનપાડા વિસ્તારમાં આવેલા એક બારમાં રવિવારે રાતે દરોડો પાડતાં બારના સ્ટાફ અને ગ્રાહકોએ માસ્ક્સ પહેર્યા ન હોવાનું તથા તેઓ સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ન કરી રહ્યા હોવાનું માલૂમ પડ્યું હતું એમ કલ્યાણ ક્રાઇમ યુનિટ-૩ના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિલાસ પાટીલે જણાવ્યું હતું. ત્યાં હાજર કેટલાક લોકો અશ્લીલ હરકતો કરતા પણ માલૂમ પડ્યા હતા. દરોડાને પગલે પોલીસે ૨૧ વેઇટ્રેસ, ૩૦ ગ્રાહકો અને બારના અન્ય સ્ટાફ સહિત ૫૬ વ્યક્તિની ધરપકડ કરી હતી. સાથે જ પોલીસે બારમાંથી ૬૩,૪૧૦ રૂપિયાની રોકડ અને એક મ્યુઝિક સિસ્ટમ જપ્ત કરી હતી.

Mumbai mumbai news thane thane crime mumbai police