આતંકવાદીઓના નિશાન પર સ્ટૅચ્યુ ઑફ યુનિટી : IB ચેતવણી

19 February, 2019 09:45 AM IST  | 

આતંકવાદીઓના નિશાન પર સ્ટૅચ્યુ ઑફ યુનિટી : IB ચેતવણી

ગુજરાતમાં નર્મદા નદીના તટ પર બનેલા સ્ટૅચ્યુ ઑફ યુનિટી માટે ઇન્ટેલિજન્સ બ્યુરોએ ચેતવણી જાહેર કરતાં કહ્યું છે કે આતંકવાદીઓ સ્ટૅચ્યુ ઑફ યુનિટી ઉડાવી શકે છે. આતંકવાદીઓ આ માટે અનેક બૉમ્બબ્લાસ્ટ પણ કરી શકે છે. IBએ આપેલી ચેતવણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સ્ટૅચ્યુ ઑફ યુનિટીની સુરક્ષા તેમ જ આ વિસ્તારમાં પોલીસ પૅટ્રોલિંગ વધારી દીધું છે. પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ IB ચેતવણી ગંભીરતાથી લેવામાં આવી રહી છે.

gujarat news terror attack