09 April, 2019 08:56 AM IST | જામનગર | રશ્મિન શાહ
પૂનમ માડમ
જામનગર જિલ્લાના બીજેપીના લોકસભાનાં ઉમેદવાર પૂનમ માડમે પ્રચારમાં જાતજાતના અખતરાઓ કરીને લોકોનાં મન જીતવાનાં શરૂ કરી દીધાં છે. રવિવારે પૂનમબહેને ગાડાંમાં બેસીને એક ગામથી બીજા ગામની સફર કરી હતી તો ગઈ કાલે પૂનમ માડમે જોડિયા તાલુકાના આમરણ ગામથી સંખેડી ગામે જવામાં ઘોડેસવારી કરી હતી. પૂનમબહેને કહ્યું હતું, ‘જો તમે લોકો જેવા થઈને રહો તો એ લોકોને ગમતું જ હોય છે.’
આ પણ વાંચો : BJPના વિધાનસભ્ય મધુ શ્રીવાસ્તવને ચૂંટણી પંચનો આદેશ : ત્રણ દિવસમાં ખુલાસો કરો
પૂનમ માડમથી પ્રભાવિત થઈને ગઈકાલે જોડિયા તાલુકાના પાંચસો જેટલા પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યોએ બીજેપી જોઇન કર્યું હતું. આ તમામ સભ્યોએ કહ્યું હતું કે તે બીજેપીથી પ્રેરાઇને નહીં પણ પૂનમબહેન માટે કામ કરવાની ભાવના સાથે પાર્ટીમાં આવે છે.