Mumbai-Gujarat હાઈવે પર 40 કિમી લાંબો જામ,મૂશળધાર વરસાદે વધારી ચિંતા, ફસાઈ ગાડીઓ

24 July, 2026 02:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. છેલ્લા 72 કલાકથી મહારાષ્ટ્ર-ગુજરાત ચેકપોસ્ટ નજીકની સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે.

ફાઈલ તસવીર

છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. છેલ્લા 72 કલાકથી મહારાષ્ટ્ર-ગુજરાત ચેકપોસ્ટ નજીકની સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે. કનેક્ટિવિટીના અભાવે બંને રાજ્યો વચ્ચે સંપર્ક મુશ્કેલ બન્યો છે. બચાવ અને રાહત ટીમો હાલમાં અનેક સ્થળોએ બચાવ કામગીરી કરી રહી છે. દરમિયાન, મહારાષ્ટ્રથી ગુજરાત જતી સેનાના જવાનો પણ ટ્રાફિકમાં ફસાયેલા છે. વાપી ચેકપોસ્ટ બંધ છે.

35-40 કિમી લાંબો જામ

મુંબઈથી ગુજરાત જતી NH-48 ની હાલત ખૂબ જ ખરાબ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 35-40 કિમી લાંબો જામ સર્જાયો છે. છેલ્લા બે થી ત્રણ દિવસથી વાહનો જામમાં ફસાયેલા છે. વાહનો બહાર નીકળવાનો રસ્તો શોધી શકતા નથી, જેના કારણે બધા ફસાયેલા છે. ગઈકાલે રાતથી વરસાદ ઓછો થયો હોવા છતાં, હવે ફરી ભારે વરસાદ શરૂ થયો છે, જેના કારણે જનતાની મુશ્કેલીઓ વધી ગઈ છે.

ટ્રેન સેવાઓ પણ પ્રભાવિત

આ દરમિયાન, ભારે વરસાદને કારણે રેલ સેવાઓને ભારે અસર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે ગુરુવારે મધ્યપ્રદેશના વિવિધ સ્ટેશનો પર મુંબઈ જતી સાત પેસેન્જર ટ્રેનો રોકી દેવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના રતલામ ડિવિઝનના પીઆરઓ મુકેશ કુમારે જણાવ્યું હતું કે મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના ઘોલાદ-ઉમરગામ રોડ સેક્શનમાં એક પુલ પર પાણીનું સ્તર ભયજનક સપાટીથી ઉપર વધવાને કારણે દિલ્હી-મુંબઈ સેક્શન પર કામગીરી પ્રભાવિત થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે રતલામ, નામલી, નાગદા, મેઘનગર, લીમખેડા, થાંડલા રોડ અને બામણિયા સ્ટેશનો પર ટ્રેનો રોકી દેવામાં આવી હતી.

પાલઘરમાં 244 લોકોને બચાવાયા

આ ઉપરાંત, છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના પાલઘરમાં બે લોકોના મોત થયા હતા. સ્થાનિક વહીવટીતંત્ર અને NDRFની બે ટીમોએ રાતોરાત બચાવ કામગીરી હાથ ધરીને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 244 લોકોને બચાવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે સલામતીના કારણોસર શુક્રવારે પણ જિલ્લાની શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સેલના વડા વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે પાલઘરના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા, જેમાં દહાણુ અને તલસારી સૌથી વધુ પ્રભાવિત થયા હતા. ઉલ્લેખનીય છે કે, ઘોલવડ અને ઉમરગામ રોડ વચ્ચેના ટ્રેક પર પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ જ કારણોસર વેસ્ટર્ન રેલવે (Western Railway)ને ટ્રેન સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. જેથી કેટલીક ટ્રેનની અવરજવર સ્થગિત કરી દેવાઈ છે. વેસ્ટર્ન રેલવે (Western Railway)ના જણાવ્યા અનુસાર ઉમરગામ-ઘોલવડમાં પાણી ભરાઈ જવાને કારણે ઘણી લોન્ગ ડિસ્ટન્સની ઉપનગરીય અને પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે તો કેટલીકને શોર્ટ-ટર્મિનેટ અને ડાયવર્ટ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનો રી-શેડ્યૂલ કરવામાં આવી છે.

gujarat news gujarat mumbai news mumbai Gujarat Rains mumbai rains mumbai traffic Weather Update mumbai weather maharashtra maharashtra news dahanu vapi western railway