21 July, 2025 08:37 AM IST | Gandhidham | Gujarati Mid-day Correspondent
લીંબડી અજરામર સંપ્રદાયનાં વિપુલાજી મહાસતીજી કાળધર્મ પામ્યાં
ગાંધીધામ (કચ્છ) ખાતે લીંબડી અજરામર સંપ્રદાયના ઉપાધ્યાય પૂ. ભવ્યમુનિ મ.સા. એવં પ્રવર્તિની પૂ. અનિલાજી મહાસતીજીનાં આજ્ઞાનુવર્તી પૂ. વિપુલાજી મહાસતીજી ૪૭ વર્ષના સંયમપર્યાય સહિત ગઈ કાલે શનિવારે સવારે ૯.૩૦ વાગ્યે કાળધર્મ પામ્યાં હતાં. બપોરે ૪.૦૦ વાગ્યે જય જય નંદા, જય જય ભદ્દાના જયનાદે પાલખીયાત્રા નીકળી હતી. તેઓ રામવાવ – રાપરવાળા ભચીબહેન ગોવિંદજી મહેતાનાં પુત્રી હતાં. પૂ. શ્રી ધીરગુરુદેવે ગુણાંજલિ અર્પણ કરી હતી.