જૂનાગઢઃજેતલવડ ગામે 4 બાળકો સાથે મહિલાનો આપઘાત

03 February, 2019 02:08 PM IST  |  રાજકોટ | દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

જૂનાગઢઃજેતલવડ ગામે 4 બાળકો સાથે મહિલાનો આપઘાત

કૂવામાં ઝંપલાવી કર્યો આપઘાત

વિસાવદરના જેતલવડ ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ પોતાના ચાર બાળકો સાથે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતા ગામમાં ચકચાર મચી છે.

મળતી માહિતી મુજબ એક મહિલાએ 4 બાળકો સાથે ગામના જ કૂવામાં ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું. ગામના 70 ફૂટ ઉંડા કૂવામાં મહિલા કૂદી હોવાની માહિતી મળતા જ આખું ગામ કૂવા પાસે ભેગું થયું હતું.

આ પણ વાંચોઃ PUBG રમવા સ્માર્ટફોન માટે પૈસા ન મળતાં કિશોરે કરી આત્મહત્યા

તાત્કાલિક અસરથી ગામના તરવૈયાઓએ કૂવામાં શોધખોળ શરૂ કરી હતી. જે દરમિયાન 2 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે, તો એક બાળકને સુરક્ષિત બચાવી લેવાયો છે.

આ માહિતી સામે આવ્યા બાદ તાત્કાલિક 108, સ્થાનિક ધારાસભ્ય ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જો કે મહિલાએ શા માટે આપઘાત કર્યો તે હજી સામે નથી આવ્યું.

gujarat news