રાજપૂત સમાજસાથે અડધી રાતે મુખ્ય પ્રધાને કરી બેઠક, પણ પરિણામ શૂન્ય

17 April, 2024 09:06 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

રૂપાલાની ઉમેદવારી પાછી નહીં ખેંચાય તો રાજપૂત સમાજનું આંદોલન પાર્ટ-ટૂ શરૂ કરવાની ચીમકી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

પરષોત્તમ રૂપાલા સામે ફેલાયેલા રાજપૂત સમાજના રોષને ઠારવા માટે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી તેમ જ ગુજરાત BJPના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાથે ગુજરાત રાજપૂત સમાજની સંકલન સમિતિની કોર કમિટીના સભ્યો સાથે સોમવારે અડધી રાતે થયેલી બેઠકમાં હાલ કોઈ સુખદ ઉકેલ આવ્યો નથી. બીજી તરફ આ બેઠક બાદ સંકલન સમિતિના સભ્યોએ જો પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી નહીં ખેંચાય તો રાજપૂત સમાજનું આંદોલન પાર્ટ-ટૂ શરૂ થશે અને BJPની સભાઓમાં શાંત વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

gujarat news bhupendra patel Parshottam Rupala Lok Sabha Election 2024 Gujarat BJP