અમદાવાદમાં જ્વેલરીના શોરૂમમાં વાછરડાં માટે શૉપિંગ

05 March, 2021 11:55 AM IST  |  Ahmedabad

અમદાવાદમાં જ્વેલરીના શોરૂમમાં વાછરડાં માટે શૉપિંગ

શોરૂમમાં પરિવારના સભ્યો સાથે માથે કૅપ પહેરેલા વિજય પરસાણા અને તેમનાં બે વાછરડાં.

સામાન્ય સંજોગોમાં ગાયને કોઈ પણ સ્ટોરની સામે કોઈ ઊભી રહેવા દેતું નથી ત્યારે ગુજરાતમાં કોટિયા ગામે લહેરગિરિબાપુના આશ્રમમાં ૧૦-૧૧ માર્ચે ગૌક્રાન્તિ યજ્ઞ થવાનો છે એમાં પોતાના વાછરડા ‘ભોલે’ અને વાછરડી ‘મહાકાલી’ સાથે ગૌપ્રેમી વિજય પરસાણા જવાના છે ત્યારે આ બન્ને વાછરડાંને શણગારવા માટે જ્વેલરી ખરીદવા વિજય પરસાણા ગઈ કાલે અમદાવાદમાં સૅટેલાઇટ વિસ્તારમાં આવેલા એ. બી. જ્વેલર્સના શોરૂમમાં ગયા હતા. આશ્ચર્યની વાત તો ત્યારે બની જ્યારે બે વાછરડાં માટે દોઢ કિલો ચાંદીનાં ઘરેણાં ખરીદ્યા પછી એનું એક રૂપિયો પેમેન્ટ શોરૂમે લીધું નહીં.

gujarat ahmedabad