નરહરિ અમીનને ઊંટિયું બનાવીને બીજેપી રાજ્યસભા જીતવા માગે છે : લલિત વસોયા

14 March, 2020 08:19 AM IST  |  Ahmedabad

નરહરિ અમીનને ઊંટિયું બનાવીને બીજેપી રાજ્યસભા જીતવા માગે છે : લલિત વસોયા

લલિત વસોયા

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પાટીદારને ટિકિટ આપવામાં કૉન્ગ્રેસના ધારાસભ્યોએ માગણી કરી હતી, પરંતુ ટિકિટ ન આપતાં કૉન્ગ્રેસના પાટીદાર ધારાસભ્યોમાં અસંતોષની લાગણી હોવાનો સ્પષ્ટ નિર્દેશ કૉન્ગ્રેસના ધારાસભ્યો વ્યક્ત કરવા લાગ્યા છે. રાજ્યસભામાં પાટીદારને ટિકિટ આપવા કૉન્ગ્રેસના ધારાસભ્યોએ બંધબારણે મીટિંગ કરી હતી, પણ કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતાઓને ટિકિટ આપવાના ચક્કરમાં પાટીદાર નેતાની બાદબાકી થઈ ગઈ છે. આ બધા વચ્ચે આજે પાટીદાર ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે અમારી માગણી હતી કે આ વખતે પાટીદારને ટિકિટ મળે. અમે બધા પાટીદાર ધારાસભ્યો ભેગા થયા હતા અને પક્ષમાં પાટીદારને રાજ્યસભાની ટિકિટ મળે એ માટેનો પ્રયાસ કરાયો હતો. નરહરિભાઈને બીજેપીએ ઊંટિયું બનાવ્યા છે, પરંતુ અમે દરેક ધારાસભ્ય એક જ છીએ તેમ જ કૉન્ગ્રેસના દરેક ધારાસભ્ય કૉન્ગ્રેસને જ વોટ આપશે.

gujarat ahmedabad Gujarat Congress