અમદાવાદ: નિકોલ વિસ્તારમાં ધોળેદિવસે જ્વેલર્સને લૂંટી લેતાં ચકચાર મચી

31 January, 2020 12:08 PM IST  |  Ahmedabad

અમદાવાદ: નિકોલ વિસ્તારમાં ધોળેદિવસે જ્વેલર્સને લૂંટી લેતાં ચકચાર મચી

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદ લૂંટારુઓ માટે હબ બની ગયું હોય એમ લાગી રહ્યું છે. નવા વર્ષની શરૂઆતથી જ અત્યાર સુધીમાં અનેક લૂંટ-ચોરીના બનાવ સામે આવી રહ્યા છે. આવો જ વધુ એક લૂંટનો બનાવ અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં લૂંટારુઓએ જ્વેલર્સને નિશાન બનાવી ત્રણ કિલો સવા કરોડ રૂપિયાના સોનાની લૂંટ ચલાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડિયાર માતાના મંદિર પાસે ધોળેદિવસે લૂંટારુઓએ એક જ્વેલર્સને લૂંટી લેતા પોલીસ દોડતી થઈ ગઈ છે. જ્વેલર્સ-વેપારી સોનું ભરેલી બૅગ લઈ નિકોલ ગામ બહાર આવેલા ખોડિયાર માતાના મંદિર નજીકથી પસાર થઈ રહ્યા હતા તે સમયે લૂંટારુ ટોળકી તેમને આંતરી હાથમાં રહેલી બૅગ છીનવી રફુચક્કર થઈ ગયા હતા.

gujarat ahmedabad