ગાંધીનગર : ગુજરાતના ખેડૂતો માટે 3,700 કરોડનું પેકેજ

22 September, 2020 02:36 PM IST  |  Gandhinagar | Agency

ગાંધીનગર : ગુજરાતના ખેડૂતો માટે 3,700 કરોડનું પેકેજ

વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહના નેતા તરીકે ૧૪મી વિધાનસભાના સાતમા સત્રના પ્રથમ દિવસે નિયમ-૪૪ અન્વયે નિવેદનમાં રાજ્યના ધરતીપુત્રોને આ વર્ષે ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલ પાક નુકસાન સામે ઉદાર પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજ હેઠળ પાક નુકસાનીમાં હેક્ટરદીઠ ૧૦,૦૦૦ રૂપિયાની સહાય ખેડૂતને અપાશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યની આ ખેડૂત હિતલક્ષી સરકાર હંમેશા ખેડૂતોની વિપદામાં તેમની મુશ્કેલીના સમયમાં પડખે ઉભી રહેનારી સંવેદનશીલ સરકાર છે. આ સંદર્ભમાં સીએમ રૂપાણી ઉમેર્યું કે, ઓગસ્ટ-૨૦૨૦માં મહિનામાં રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને પરિણામે ખેતરોમાં પાણી ભરાવાના પરિણામે ખેતી પાકોને નુકસાન થયેલું છે. આ નુકસાની સામે સહાય આપવા અંગે રાજ્યના ખેડૂત, ખેડૂત સંગઠનો અને પ્રજાના જનપ્રતિનિધિઓએ રાજ્ય સરકારને કરેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા આ સહાય પેકેજ આપ્યું છે.

gujarat gandhinagar Vijay Rupani ahmedabad