પતિએ કાશ્મીરમાં ડ્યુટી પર જવા માટે જીદ પકડી એટલે પત્નીએ કર્યું સુસાઇડ

18 February, 2019 07:54 AM IST  |  દ્વારકા | રશ્મિન શાહ

પતિએ કાશ્મીરમાં ડ્યુટી પર જવા માટે જીદ પકડી એટલે પત્નીએ કર્યું સુસાઇડ

ભૂપેન્દ્રસિંહ જેઠવા અને જ્યોત્સના બહેન

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનાએ કેવી તીવ્ર અસર કરી છે એ દર્શાવતો એક કિસ્સો ગઈ કાલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બન્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના વતની એવા ભૂપેન્દ્રસિંહ જેઠવા ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવે છે અને તેમનું હાલનું પોસ્ટિંગ કાશ્મીરમાં ગુલમર્ગ પોસ્ટ પર છે. અત્યારે વેકેશન હોવાથી તે ઘરે આવ્યા હતા, પણ વેકેશન પૂરું થતાં તેમણે આજે કાશ્મીર જવા માટે નીકળવાનું હતું. આમ તો તેમનાં વાઇફ જ્યોત્સ્નાબાને કોઈ વાંધો નહોતો, પણ પુલવામાની ઘટના પછી તે ખૂબ ગભરાઈ ગયાં અને તેમણે પતિ પાસે વેકેશન લંબાવવાની અને કાશ્મીર ન જવાની જીદ પકડી. ભૂપેન્દ્રસિંહ માન્યા નહીં જેને લીધે બન્ને વચ્ચે છેલ્લા બે દિવસથી ઝઘડો પણ વધી ગયો હતો. ગઈ કાલે રાતે જ્યોત્સ્નાબા એવું કહીને સૂઈ ગયાં કે તમને મારી કંઈ પડી જ નથી. ભૂપેન્દ્રસિંહને ખબર પણ નહોતી કે રાતે તે અજુગતું પગલું લેશે. ભૂપેન્દ્રસિંહના કાકા અજિતસિંહ જેઠવાએ કહ્યું હતુંકે ‘જે બન્યું છે એ અજુગતું છે, પણ વાત સાચી છે કે તેમના પત્ની ઇચ્છતાં નહોતાં કે તે નોકરીએ જાય. જોકે એવું તે કેમ શક્ય બને?’

આ પણ વાંચોઃ પુલવામા આતંકી હુમલા પછી ગુજરાતના દરિયાકાંઠે હાઇ એલર્ટ જાહેર 

કેસની તપાસ કરી રહેલા ઇન્વેસ્ટિગેટિવ ઑફિસર આઇ. કે. સરવૈયાએ કહ્યું હતું કે ‘અમે ઇન્ક્વાયરી કરીશું કે હકીકત શું હતી, પણ પ્રારંભિક સ્ટેટમેન્ટમાં એ જ ખબર પડી છે કે પુલવામાની ઘટના પછી જ્યોત્સ્નાબા અંદરથી ખૂબ ગભરાઈ ગયાં હતાં. તેમણે આડોશીપાડોશી સાથે પણ એવી વાત કરી હતી કે તે હવે તેમના વરને જવા જ નહીં દે.’

gujarat news dwarka terror attack