જૂનાગઢ મનપાના પદાધિકારીઓની જાહેર, ધીરૂભાઈ ગોહેલ બન્યા મેયર

01 August, 2019 02:16 PM IST  |  જૂનાગઢ

જૂનાગઢ મનપાના પદાધિકારીઓની જાહેર, ધીરૂભાઈ ગોહેલ બન્યા મેયર

જૂનાગઢ મનપાના પદાધિકારીઓની જાહેર

જૂનાગઢ મહાનગરપાલિકા પર કબજો જમાવ્યા બાદ હવે ભાજપે પદાધિકારીઓની વરણી કરી છે. ધીરૂભાઈ ગોહેલ મેયર બન્યા છે. જ્યારે હિમાંશુ પંડ્યાના ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા છે. રાકેશ ધુલેશિયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે. જ્યારે ધર્મન ડાંગર દંડક બન્યા છે. નટુભાઈ પટોડિયા શાસક પક્ષના નેતા બન્યા છે.

જૂનાગઢ મનપાની પેટા ચૂંટણીમાં ભાજપે કુલ 59 બેઠકમાંથી 54 પર જીત મેળવી છે. જ્યારે એનસીપીને 4 મળી છે અને એક બેઠક કોન્ગ્રેસના નામે રહી હતી. કૉન્ગ્રેસનું માંડ એક બેઠક મળી છે. ભાજપને જૂનાગઢ મનપાને કોન્ગ્રેસ મુક્ત કરવામાં કોન્ગ્રેસના ઉમેદાર મંજુલાબેન આડે ઉભા રહ્યાં હતા. મંજુલાબેન એકમાત્ર કોન્ગ્રેસના ઉમેદવાર છે જેમણે કોન્ગ્રેસને જૂનાગઢ મનપામાં જીવત રાખી છે. ઉલ્લેખનીય છે કે એનસીપીને પેટાચૂંટણીમાં ભાજપ કરતા 4 ગણી 4 બેઠક મળી હતી.

જૂનાગઢ જિલ્લા પંચાયતની તમામ પાંચ બેઠકો પર પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે જિલ્લા પંચાયતની પાંચેય બેઠકો પર જીત મેળવી લીધી છે. મનપા ચૂંટણીમાં પહેલા બેલેટ પેપરની મતગણતરી કરવામાં આવી હતી. મહત્વનું છે કે 23 રાઉન્ડમાં 44 ટેબલ પર 264 કર્મીઓ દ્વારા મત ગણતરી કરવામાં આવી હતી.

આ પણ જુઓઃ સપના ના વાવેતરઃ જાણો આજકાલ શું કરે છે આ ધારાવાહિકના કલાકારો

વોર્ડ નં. 1, 2, 5, 6, 7 9, 10,11,12, 13, 14, 15માં ભાજપની પેનલે જીત મેળવી હતી. જ્યારે વોર્ડ નં.4માં ભાજપનો 3 અને કોંગ્રેસનો એક અને એનસીપીનો 4 બેઠક પર વિજય થયો છે. ભાજપને બહુમતી મળતા જીતની ઉજવણી શરૂ થઈ ગઈ હતી. જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની જીત નક્કી મનાતા રાજકોટના કોર્પોરેશન ચોકમાં ફટાકડા ફોડી ભાજપે ઉજવણી કરી હતી.

junagadh gujarat