અમદાવાદ : દાણીલીમડા પાસે બ્લાસ્ટમાં 3ના મોત અને 2 ગંભીર

04 April, 2019 09:42 PM IST  |  અમદાવાદ

અમદાવાદ : દાણીલીમડા પાસે બ્લાસ્ટમાં 3ના મોત અને 2 ગંભીર

દાણીલિમડા વિસ્તારમાં થયો બ્લાસ્ટ (PC : Google)

અમદાવાદ શહેરમાં દાણીલીમડામાં બ્લાસ્ટની ઘટના બનતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. મળી રહેલી માહિતી પ્રમાણે આ બ્લાસ્ટની ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બ્લાસ્ટ થતાં જ લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી.

શું હતી ઘટના..?
પીરકમાલ ચાર રસ્તા પરના અપ્સરા કોમ્પલેક્ષમાં બ્લાસ્ટ થતા લોકોમાં ભાગદોડ મચી હતી. જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. કોમ્પલેક્ષમાં ઘડાકાભેર બ્લાસ્ટ થતા લોકોમાં ભયનો માહોલ બની ગયો હતો. આ બ્લાસ્ટમાં ત્રણ લોકોના મોત થયા છે. કોમ્પલેક્ષમાં બ્લાસ્ટ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલોને સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


આ પણ જુઓ : ઓજસ રાવલઃ કોમેડીથી હિન્દી સિરિયલ સુધી, આ એક્ટરના નામના વાગે છે ડંકા

ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા
દાણીલીમડામાં આવેલા પીરકમાલ કોમ્પલેક્ષમાં થયેલા બ્લાલ્ટમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. સ્થળપર જ મોત થયેલા વ્યક્તિઓના નામ ભારતીબેન, ફરીદભાઇ અને રસીકભાઇનો સમાવેશ થાય છે. જ્યારે આ બ્લાસ્ટમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. ઘાયલોને સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે.

ahmedabad gujarat