પરિણામ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કર્યા સોમનાથના દર્શન

18 May, 2019 04:56 PM IST  |  સોમનાથ

પરિણામ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કર્યા સોમનાથના દર્શન

લોકસભાની ચૂંટણી માટે રવિવારે છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે. તો ગુરુવારે એટલે કે 23મી મેના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ત્યારે પરિણામ પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓએ અમિત શાહનું સ્વાગત કર્યું હતું.

સોમનાથ મહાદેવમાં અમિત શાહ તેના પરિવાર સાથે સોમનાથ મહાદેવની પૂજા કરી અભિષેક કર્યો હતો. નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે અમિત શાહ પહેલા 17 મેના સોમનાથ આવવાના હતા તેના બદલે પરંતુ હ તેઓ આજે દર્શન કરવા પહોંચ્યા હતાં. મળતી માહિતી પ્રમાણે અમિત શાહ મોડી રાત્રે 11 વાગે રાજકોટ એરપોર્ટ પહોંચ્યા હતા

રાજકોટ એરપોર્ટ પર રાજકોટના મેયર, શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી, અને ધારાસભ્યએ અમિત શાહનું સ્વાગત કર્યું હતું. રાજકોટમાં અમિત શાહ તથા તેમના પરિવાર માટે સર્કિટ હાઉસમાં રોકાયો હતો. મળતી માહિતી પ્રમાણે દિલ્હીમાં કામ હોવાથી ત્યાથી ભોજન લઇ રાત્રે 11 કલાકે રાજકોટ આવ્યા હતા.

amit shah bharatiya janata party gujarat news