13 April, 2021 03:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત સરકારના વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે. આ વાતની માહિતી ભાજપા નેતા ઇશ્વર પરમારે પોતે ટ્વીટ કરીને આપી છે.
તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, "મને કોરોનાના પ્રારંભિક લક્ષણો જણાતા રેપિડ ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવેલ છે. છેલ્લા થોડા દિવસમાં મારી સાથે સંપર્કમાં આવેલા સૌને મારી આગ્રહભરી વિનંતી છે કે આપ પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવશો અને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખશો."