24 March, 2019 09:19 PM IST |
ગણેશનગરના લાકડાના પીઠામાં લાગી હતી આગ
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા પીપળજ રોડ પરના પીઠામાં ભીષણ આગ લાગી હતી. આ આગ ગણેશનગરના લાકડાના પીઠામાં લાગી હતી. થોડા જ સમયમાં આગે ભયંકર રૂપ ધારણ કર્યું હતું. આગ જોત જોતામાં આજુબાજુમાં આવેલા રહેણાંક વિસ્તારમાં પ્રસરીને ઝૂંપડાઓને આગની ઝપેટમાં લીધા હતા. જો કે આગના કારણે કોઈ જાનહાનિ થઈ નથી આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ 40 ગાડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ કરાયો હતો
માનવામાં આવી રહ્યું છે કે આગ કચરાના ઢગલામાં લાગી હતી જ પવનના કારણે પ્રસરી હતી અને ફેલાઈ હતી. આગ પહેલા લાકડાના પીઠામાં પહોંચી હતી જેના કારણે તેને વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું અને ત્યારબાદ આસપાસના ઝૂંપડાઓમાં લાગી હતી. આગ લાગવાની માહિતી સાથે જ ફાયર બ્રિગેડની 40 જેટલીઓ ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી
આ પણ વાંચો: અમદાવાદઃમાત્ર 2 હજાર માટે મિત્રએ કરી મિત્રની હતી
આગ વિકરાળ થતાં બ્રિગેડે આગને કાબુ લેવામાં આવી હતી. કોઈ મોટુ નુકસાન ન થાય તેને ધ્યાનમાં રાખીને વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ ટોરેન્ટ પાવરના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ભારે મહેનત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી