અમદાવાદ: રિલિફ રોડ પર આવેલા મોબાઈલ માર્કેટમાં આગ, કારણ અકબંધ

15 March, 2019 06:04 PM IST  | 

અમદાવાદ: રિલિફ રોડ પર આવેલા મોબાઈલ માર્કેટમાં આગ, કારણ અકબંધ

મૂર્તિ મંત કોમ્પલેક્ષમાં આગ

અમદાવાદના રિલિફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્લેક્ષમાં ભીષણ આગ લાગી હતી. આ આગ મોબાઈલ માર્કેટના બીજા માળે લાગી હતી જેના કારણે ધુમાડાના કાળા વાદળો આકાશમાં ઉડ્યા હતા. આગએ મોટુ સ્વરુપ લેતા પહેલા જ ફાયર ફાઈટરની 5 ગાડીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. હાલ આગ લાગવાના કોઈ પણ કારણ સામે આવી નથી રહ્યા જો કે અત્યાર સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી.

એકાએક લાગેલી આગે ટૂંક સમયમાં જ વિકરાળ સ્વરુપ લીધુ હતું. આગના કારણે રસ્તા પર ભારે ટ્રાફિક સર્જાયો હતી. માનવમાં આવી રહ્યું હતી કે આગનાં કારણે ભારે નુકશાન થવાની સંભાવના હતી. આગ લાગતાની સાથે ફાયર બ્રિગેડની 5 ગાડીઓ મોકા પર પહોંચી હતી અને આગને કાબુમાં લેવામાં આવી હતી. મહત્વનું એ હતી કે સમય રહેતા કોમ્પલેક્ષમાંથી તમામ લોકો બહાર નીકળી જતા કોઈ પણ જાતની જાનહાનિ હોવાનું સામે નથી આવ્યું.

આ પણ વાંચો: વડોદરા : બોગસ માર્કશીટ અને ડિગ્રી સર્ટીનું કોભાંડ ઝડપાયું, 2 હજારમાં વેચાતી હતી માર્કશીટ

 

ahmedabad