ખેડબ્રહ્મામાં ફરાર વેવાઈ-વેવાણે આપઘાત કરી લેતાં ચકચાર

10 June, 2020 12:23 PM IST  |  Sabarkantha | Agencies

ખેડબ્રહ્મામાં ફરાર વેવાઈ-વેવાણે આપઘાત કરી લેતાં ચકચાર

પ્રતીકાત્મક તસવીર

થોડાક મહિનાઓ પહેલાં સુરતનાં વેવાઈ-વેવાણની પ્રેમકહાણી આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. ત્યારે ફરી એક વાર સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વેવાઈ-વેવાણની કહાણી સામે આવી છે. ખેડબ્રહ્માની આ ઘટનામાં વેવાઈ-વેવાણે સાથે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી રહી છે. વડાલીનાં વેવાઈ-વેવાણે દિધિયા ગામે જઈ આપઘાત કરતાં વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો છે. ચારે બાજુ હાલ આ ઘટનાની જોરદાર ચર્ચાઓ થઈ રહી છે.

ખેડબ્રહ્માના વડાલી ગામનાં વેવાઈ-વેવાણે દિધિયા ગામે જઈને ગામની સીમમાં ઝાડ સાથે ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કર્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના ગ્રામજનો ભેગા થયા હતા અને તેમણે પોલીસને સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. ખેડબ્રહ્મા પોલીસે આ ઘટનામાં પ્રેમપ્રકરણમાં આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ આપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

gujarat ahmedabad suicide