અમદાવાદઃસાબરમતી નદીમાં ઝંપલાવી પ્રેમીયુગલનો આપઘાત

01 April, 2019 03:40 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃસાબરમતી નદીમાં ઝંપલાવી પ્રેમીયુગલનો આપઘાત

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદની સાબરમતી નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. સાબરમતી નદીમાંથી 23 વર્ષના યુવક અને 15 વર્ષની યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. રવિવારે સવારે એક સાથે 2-2 મૃતદેહ મળતા ચકચાર મચી.

પ્રેમસંબંધમાં કર્યો આપઘાત

મૃતક પુરુષની ઓળખ શંકર વણઝારા અને બાળકીની ઓળખ પૂજા ઠાકોર તરીકે થઈ છે. બંને મૃતકો સાબરમતીના કબીર ચૌકના રહીશ છે. સાબરમતી રિવરફ્રન્ટ (વેસ્ટ)પોલીસના કહેવા પ્રમાણે બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની શક્યતા છે. જેને પગલે બંનેએ આપઘાત કર્યો હોઈ શકે છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે શંકર વણઝારા મજૂરીનું કામ કરતો હતો. જે પૂજા ઠાકોરના પિતાના ફૂડ આઉટલેટ પર નિયમિત આવતો હતો. અહીં જ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. બં મહિના પહેલા પૂજાના પપ્પાને આ વિશે જાણ થઈ ગઈ હતી. બાદમાં મૃતક પૂજા ઠાકોરના પિતાએ શંકરને ઢોર માર માર્યો હતો. અને પોલીસ ફરિયાદ કરવાની ધમકી પણ આપી હતી. સાથે જ પૂજાને ફરી ન મળવા પણ ચેતવણી ઉચ્ચારી હતી.

આ પણ વાંચોઃ  અમદાવાદ : રિવરફ્રન્ટ પરથી મહેસાણાના પ્રેમી પંખીડાએ મોતની ડુબકી લગાવી

એક અઠવાડિયામાં બીજો આપઘાત

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા મુજબ આ ઘટનાના કેટલાક દિવસો બાદ જ બંનેના મૃતદેહ નદીમાંથી મળી આવ્યા છે. શુક્રવાર સાંજથી બંને જણા ગુમ થયા હતા. જો કે ત્યાર બાદ બંનેને માહિતી મળી કે પૂજાનો પરિવાર ફરિયાદ નોંધાવશે, ત્યાર બાદ બંનેએ આપઘાત કર્યો હોઈ શકે છે. બંનેએ શુક્રવારે આપઘાત કર્યો હોઈ શકે છે, પરંતુ મૃતદેહ રવિવારે મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા અમદાવાદના NID રિવરફ્રન્ટ પાસેથી પણ એક પ્રેમી યુગલના મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં પણ યુવક યુવતીએ પ્રેમસંબંધ નિષ્ફળ જવાથી આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો હતો.

ahmedabad gujarat Crime News