09 May, 2022 07:21 PM IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજકોટમાં એક ડઘાવી દેનારી ઘટના સામે આવી છે. એક સગીર વયની દીકરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે. આપઘાત કરનારી છોકરીની ઉંમર 10 વર્ષની છે. સગીરાનો પરિવાર વિમાસણમાં છે.
મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના એ ડીવિઝન થાણા ક્ષેત્રના ન્યૂ જગન્નાથમાં કરિશ્માબેન કરણભાઈ સોની (નેપાળી) પરિવારની દીકરીને બાથરૂમમાં જ ગળાફાંસો ખાવાની ઘટના સામે આવી છે. તેની મમ્મીએ જ્યારે દીકરીને ફાંસી પર લટકતી જોઈ તો જાણે તેના પગ નીચેથી ધરતી સરકી ગઈ. કરિશ્માને હૉસ્પિટલના ડૉક્ટર્સે મૃત જાહેર કરી.
એ ડીવિઝન પોલીસને આખી ઘટનાની માહિતી મળ્યા પછી પોલીસનો એક કાફલો હૉસ્પિટલ પહોંચ્યો. તેના પછી પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કરી તેમજ કરિશ્માના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે લઈ જવામાં આવ્યો. પૉસ્ટમૉર્ટમની પ્રક્રિયા ખતન થયા પછી કરિશ્માનો મૃતદેહ તેના પરિજનોને સોંપવામાં આવ્યો.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક બાળકીના પિતા રાજકોટ શહેરના સની પાજી દા ઢાબાંમાં કૂક તરીકે કામ કરે છે. કરિશ્મા બે ભાઈ અને બે બહેનમાં સૌથી મોટી હતી. આપઘાત પહેલા કરિશ્માની મમ્મીએ તેના પપ્પાને ટિફિન આપવા કહ્યું. આ મુદ્દે બન્ને મા-દીકરી વચ્ચે બોલાચાલી થઈ. પરિવારજનોને શંકા છે કે મા-દીકરીના ઝગડાને કારણે જ છોકરીએ આપઘાત કર્યો હોવો જોઈએ.
જો કે, પોલીસે આપઘાતના ખસા કારણની શોધ માટે તપાસ શરૂ કરી દીધી છે. એવામાં પોલીસ તપાસમાં આપઘાતના કારણોનો ખુલાસો થવો ખૂબ જ મહત્વનો છે.