સમન્થાએ ‘સિટાડેલ’ છોડી હોવાની અફવા

04 January, 2023 02:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શોમાં તેની સાથે વરુણ ધવન કામ કરી રહ્યો છે

સમન્થા રૂથ પ્રભુ

સમન્થા રૂથ પ્રભુએ ‘સિટાડેલ’ છોડી હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે તેના પબ્લિસિસ્ટ દ્વારા એને અફવા ગણાવવામાં આવી છે. તેની હેલ્થ સારી ન હોવાથી તેણે આ શોને પડતો મૂક્યો હોવાની વાતો બહાર આવી રહી છે. તે ત્રણ મહિના સુધી સંપૂર્ણ આરામ કરવા માગતી હોવાનું બહાર આવ્યું છે. આ શોમાં તેની સાથે વરુણ ધવન કામ કરી રહ્યો છે. આ વિશે સમન્થાના પબ્લિસિસ્ટે કહ્યું કે ‘તેના વિશે જે લખવામાં આવી રહ્યું છે કે ‘સિટાડેલ’માં તેને રિપ્લેસ કરવામાં આવી છે એ એકદમ ખોટી વાત છે. અફવા છે. તે જાન્યુઆરીના સેકન્ડ હાફમાં શૂટિંગ શરૂ કરશે.’

entertainment news web series