‘રે’ના ડિરેક્ટર વસન બાલાને પણ થયો કોરોના

13 January, 2022 07:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેં પોતાને આઇસોલેટ કરી લીધો છે. ગળામાં ખરાશ, તાવ, થાક, ખાંસીનાં લક્ષણો છે. માત્ર આરામ કરી રહ્યો છું.’

વસન બાલા

સત્યજિત રેની સ્ટોરીઝને લઈને ઍન્થોલૉજી ‘રે’ બનાવનાર વસન બાલાને પણ કોરોના થયો છે. વસન બાલાએ ‘આમિર’, ‘મર્દ કો દર્દ નહીં હોતા’ અને ‘રમન રાઘવ 2.0’ની સ્ટોરી લખી હતી. કોરોનાની માહિતી ઇન્સ્ટાસ્ટોરી પર આપતાં વસને લખ્યું હતું ‘મારો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. મેં પોતાને આઇસોલેટ કરી લીધો છે. ગળામાં ખરાશ, તાવ, થાક, ખાંસીનાં લક્ષણો છે. માત્ર આરામ કરી રહ્યો છું.’

coronavirus Web Series entertainment news covid19